Tuesday, July 28, 2015

વિલિયમ શેકસપિયર


people.brandeis.edu
મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયર વિલિયમ શેક્સપિયરનો જન્મ 23/4/1564 ના રોજ ઇંગ્લેન્ડના સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં જોડાયો. દરમિયાન લંડનની એક સારી ગણાતી કંપનીમાં તેને થોડુંક મનગમતું કામ મળી ગયું. નાટક લખવાની ઇચ્છા થઇ અને જુદા જુદા થિયેટરોમાં થોડી કલમ ચલાવ્યા પછી ગ્લોબ થિયેટરમાં તેમની કલમ ઝળકી ઊઠી. જોતજોતામાં તો તેમની નાટ્યલેખક તરીકેની પ્રતિષ્ઠા જામી ગઇ. તેમણે ઘણાં સુખાંત નાટકો પણ લખ્યાં. નાટકોના કથાનકો કે વિષયો જડ્યાં ત્યાંથી શેક્સપિયરે ઉપાડયાં હતાં. રોબર્ટ ગ્રીન નામના એક નાટયલેખકે ઇર્ષ્યાથી ખિજાઇને શેક્સપિયરને પારકા પીંછાથી શોભતો કાગડો કહી નાખેલો. મેકબેથ, જુલિયસ, સિઝર, ઓથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, કિંગલીઅર સહિત તેમણે 37 નાટકો અને 154 સોનેટોની વિપુલ સમૃદ્ધિ આપી. તેમણે 1600 થી વધુ શબ્દો અંગ્રેજી ભાષાને ભેટ આપીને જાણે કે તેઓ અંગ્રેજી ભાષાના સમ્રાટ બન્યા છે. એમની સર્વતોમુખી પ્રતિભા વડે જોતજોતામાં તે પોતાના સમકાલીન કવિઓમાં મોખરે જઇને ઊભા રહ્યા. એટલું જ નહીં પણ વિદ્વાન બેન જોન્સનના શબ્દોમાં કહીએ તો સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેમણે અંકિત કરી. જીવનના 50 વર્ષ વટાવ્યા પછી તેમની તબિયત લથડવા માંડી. પોતાની જન્મ તારીખ, એપ્રિલની 23 મી તારીખે ઇ.સ.1616 માં શેક્સપિયરે આ જગતમાંથી ચિરવિદાય લીધી.

ગુગ્લીલ્મો માર્કોની

ગુગ્લીલ્મો માર્કોની 

મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો. ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા. માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી. કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું. માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું. ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં. માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. ત્યારબાદ તેમણે અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ. માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન થયું. રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ વિશ્વને એક તાંતણે ગૂંથ્યું છે એ ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.

Math = Love: Free Mathematician's Toolbox Foldable for INBs

Math = Love: Free Mathematician's Toolbox Foldable for INBs: Last year, I had my students leave a blank page at the front of their INBs to glue in a formula sheet.  It never happened.  Oops...  Some of...